બંધ કરો

સુદામા સેતુ

આ બ્રિજ ભક્તો અને પ્રવાસીઓ માટે એક વધારાનો આકર્ષણ બનશે કારણ કે તે એલઇડી લાઇટથી પ્રકાશિત થશે અને શ્રી દ્વારકાધીશ જગત મંદીરને પંચનંદ તીર્થ (પંચ કુઇ) સાથે જોડશે.

સુદામા સેતુ એ સંત સુદામાના નામને સમર્પિત છે, જે શ્રી દ્વારકાધિશ ભગવાનના એક મહાન મિત્ર હતા. ગોમતી નદી ઉપર આ નવું બાંધેલો ઝૂલતો બ્રિજ છે. જે ગોમતી ઘાટને મુખ્ય ભૂમિ સાથે જોડે છે, જ્યાં શ્રી દ્વારકાધીશનું મંદિર આવેલું છે.

બ્રિજની બીજી બાજુ પર પ્રાચીનકાળનું બ્લ્યુ કલર વોટર સાથે આકર્ષક દ્વારકા બીચ છે. ત્યાંથી તમને દ્વારકાધીશ મંદિર અને ગોમતી ઘાટનું શહેર સાથેનું આશ્ચર્યજનક યાદગાર દૃશ્ય પણ યાદગારબનાવી શકો છો. કેમલ સવારી અને બાઇક રાઈડ બીચમાં આનંદ માણવા માટે સારી છે. આ સેતુમાં એક પૌરાણિક લક્ષ્મી નારાયણ મંદિર અને પાંચ પાંડવોના કુવા છે. તે કુવામાં મીઠું પાણી છે. આ બીચથી દરિયાઇ બીચ 200 મીટર દૂર છે. ફોટોગ્રાફી માટે, આ સેતુ અને તેના આસપાસના વિસ્તારો શ્રેષ્ઠ છે. નદી અને કિનારે જ્યાં સમુદ્ર અને નદી મળે છે ત્યાં સુધી નદીની કાંઠે બેસવાની વ્યવસ્થા પણ સારી છે. આ  સ્થળબિંદુથી એક અદ્ભુત સનસેટ પણ જોઈ શકાય છે. તે દરિયાઇ બીચની સાથે ગાયક મોજા, પવન અને પક્ષીઓ સાથે એક અદ્ભુત દ્રશ્યની કલાકૃતિ નિહારી શકો છો.

ફોટો ગેલેરી

  • સુદામા સેતુ દ્વારકા
    સુદામા સેતુ

કેવી રીતે પહોંચવું:

વિમાન દ્વારા

નજીકનું વિમાનમથક જામનગર અને પોરબંદરમાં છે. રોડમાર્ગ દ્વારા આ સ્થળે મુસાફરી કરી શકાય છે.

ટ્રેન દ્વારા

દ્વારકા શહેરમાં દ્વારકા રેલ્વે સ્ટેશન છે. રેલ્વે સ્ટેશનથી સુદામા સેતુ આશરે 2 કિ.મી. દૂર રોડ દ્વારા પહોંચી શકાય છે.

માર્ગ દ્વારા

NH-947 સીધા દ્વારકા શહેરમાં લઈ જાય છે.